સુવિચાર

"Wel-Come to Information Technology, Employ, Student & Business Development World" સુવિચાર :- "પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચારથી નહિ." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 14 March 2014

સોડિયમ લાઇટમાં શું હોય છે ? - પક્ષીઓના પગની વિવિધ રચના - આપણા લોહીમાં શું શું હોય છે ? તેનાં ગ્રૂપ કેમ બન્યા ?

Gayatri Employ Solution
 ( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo GroupBlogWebsite, )

સોડિયમ લાઇટમાં શું હોય છે ?


મોટા શહેરોમાં મુખ્ય માર્ગો, પૂલ ઉપર કે ચારરસ્તા પર પીળો પ્રકાશ પાથરતી સોડિયમ લાઇટ જોવા મળે છે. પીળા પ્રકાશની આ લાઇટની વિશેષતા છે. સાદા મરક્યૂરી લેમ્પ અને ટયૂબ લાઇટ સફેદ અને આકર્ષક અજવાળાને બદલે રસ્તા ઉપર પીળા પ્રકાશની લાઇટ રાખવાનું ખાસ કારણ છે. સફેદ પ્રકાશ આપતી ટયૂબ લાઇટ ક્યારેક વક્રીભવન થઇને સાત રંગોમાં વહેંચાઇ જાય. રસ્તા ઉપર ખુલ્લા વાતાવરણમાં આ પ્રક્રિયા વધુ થતી જોવા મળે. ક્યારેક લાઇટની આસપાસ સાત રંગના કિરણોનું કૂંડાળંુ જોવા મળે. આ દ્રષ્ટિભ્રમ વાહનવ્યવહારને વિપરિત અસર કરે છે. તેના નિવારણ માટે પીળા રંગની સોડિયમ લાઇટ વપરાય છે. તેના લેમ્પમાં સોડિયમ વાયુ ભરેલો હોય છે. સોડિયમ લાઇટ ઓછા વીજળી વપરાશથી વધુ પ્રકાશ આપે છે.



પક્ષીઓના પગની વિવિધ રચના


પક્ષીઓનું મૂળ કામ ઊડવાનું. તેમને ચાલવાનું ઓછું હોય છે. પરંતુ તેમના પગના ખાસ ઉપયોગ હોય છે. મોટાભાગના પક્ષીઓ પગ વડે શિકારને પકડવાનું કામ કરે છે. ગીધ, ગરૃડ વિગેરેના નહોરવાળા પંજાનો હેતુ શિકાર પકડવાનો છે.
બગલાને પાણીમાં ઊભા રહી શિકાર શોધવાનો હોય છે. એટલે તેના પગ લાંબા અને તળીયે કાદવમાં ખૂંપી ન જાય તેવા પહોળા પંજાવાળા હોય છે.
ચકલી, કાબર, બુલબુલ જેવાં પક્ષીઓ બંને પગ સાથે ઉપાડી કૂદકા મારી ચાલતાં હોય છે. તેમના પગ ટૂંકા એટલે ચાલતા ફાવે નહીં પણ તેમને ચાલવાની જરૃર પણ નથી.
ઓછું ઊડનારા શાહમૃગ, મરઘા, મોર વગેરેના પગ પાંચ આંગળાવાળા અને નહોરવાળા મજબૂત હોય છે. તે ઝડપથી દોડી શકે છે.
ઝાડની ડાળી કે ટેલિફોનના તાર ઉપર બેઠેલા પડી જતાં નથી. મોટાભાગના પક્ષીઓના પગમાં સ્પ્રિંગ જેવી રચના હોય છે. પક્ષીના વજનથી આ સ્પ્રિંગ દબાય એટલે તેના પંજા ડાળી ઉપર ભિડાય છે. ઊડવું હોય ત્યારે શરીર ઊંચુ કરીને સ્પ્રિંગ ઢીલી કરે ત્યારે આંગળા છૂટા પડે છે. પક્ષીઓના પગના આંગળા પાછળની તરફ વળી શકતા નથી એટલે જમીન પર ચાલી શકે છે.

આપણા લોહીમાં શું શું હોય છે ? તેનાં ગ્રૂપ કેમ બન્યા ?


આપણા શરીરમાં ફરતું લોહી શરીરના બધા અંગ અવયવોને શક્તિ પહોચાડવાનું કામ કરે છે. આવું મોટું કામ કરવા માટે તેમાં ઘણી જાતનાં રસાયણો અને દ્રવ્યો જરૃરી છે. આપણું લોહી લાલ દેખાય છે. પરંતુ ખરેખર તે પ્લાઝમા નામનું પીળું પ્રવાહી છે. તેમાં લાલ અને સફેદ કણો તરતા હોય છે. લાલ કણોને કારણે તે લાલ દેખાય છે. લોહીમાંના લાલ કણો શરીરમાં ઓક્સિજન પહોચાડવાનું કામ કરે છે. સફેદ કણો ચેપી રોગના જંતુઓ સામે લડવાનું કામ કરે છે. લોહીમાં પ્લેટલેટ્સ નામના કણો હોય છે તે લોહીને જામી જતા અટકાવી પ્રવાહી રાખે છે. લાલકણોમાં હિમોગ્લોબીન હોય છે.
વિજ્ઞાનીઓએ લોહીનો ઊડો અભ્યાસ કરીને જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા પ્રકારનું લોહી હોય છે તેવું શોધી કાઢયું છે. રક્તદાન વખતે દર્દીમાં જે પ્રકારનું લોહી હોય તે જ પ્રકારનું લોહી આપવું પડે તેમાં સગવડતા માટે લોહીના ગ્રૂપ બનાવવામાં આવ્યા છે. એ, બી, કે ઓ ગ્રૂપ નામે ઓળખાય છે. તે ઉપરાંત લોહી પોઝીટીવ અને નેગેટીવ ગ્રૂપનું પણ હોય છે. લોહીમાંના લાલકણો ઉપર ખાસ પ્રકારના પ્રોટીનનું કવચ હોય છે. આ પ્રોટીનના પ્રકારથી લોહીના ગ્રૂપ બન્યા છે.


Source :-http://www.gujaratsamachar.com/index.php/page/zagmag/
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science, Commerce All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop, C, C++, Java  Learn in Gujarati CD, Other Software DVD,  etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment